સુવાક્યોનો સંચય – સંકલિત
[રીડગુજરાતી પર સુવિચાર વિભાગમાં સમગ્ર મે-જૂન માસ દરમિયાન મૂકાયેલા સુવાક્યોનો સંગ્રહ.]
પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે.
-શ્રીમદ્ રાજચંદ્ર
મારો શિષ્ય એક જ છે અને તે છે મોહનદાસ ગાંધી. એને કેળવતાં અને કાબૂમાં રાખતાં મારો દમ નીકળી જાય છે. બીજો શિષ્ય કરવા ક્યાં જાઉં ?
-ગાંધીજી
જે પ્રેમ નિત્ય નવીન નથી હોતો, તે એક આદત અને છેવટે એક બંધન બની જાય છે.
-ખલીલ જિબ્રાન
પ્રેમ કરવો તે કલા છે, પણ તેને નિભાવવો એ સાધના છે.
-વિનોબા ભાવે
સરસ જિંદગી એ છે જેમાં જ્ઞાનનું માર્ગદર્શન હોય અને પ્રેમની પ્રેરણા હોય.
-બર્ટ્રાન્ડ રસેલ
હે પરમાત્મા, મારી વાણી મારા મનમાં સ્થિર થાઓ અને મારું મન મારી વાણીમાં સ્થિર થાઓ.
-ઐતરેય ઉપનિષદ
દરેક વ્યક્તિમાં અનંત શક્યતા છે. આપણામાંના પ્રત્યેકમાં કોઈક એવું બીજ છે જેમાંથી વૃક્ષ પ્રગટી શકે.
-પ્રે. મહાદેવ ધોરિયાણી
તમારી આકાંક્ષાઓ એ તમારી શક્યતાઓ છે. જેવી આકાંક્ષા તેવી સિદ્ધિ.
-રોબર્ટ બ્રાઉનીંગ
જેણે મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, માન-અપમાન બધું સરખું છે.
-ચાણક્ય
જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે, સમય મળે તો તમે તેનો ઉપયોગ શુભ કાર્ય માટે કરો, કારણ કાળનું ચક્ર અત્યંત ક્રુર અને ઉપદ્રવી છે.
-બેન્જામીન ફ્રેન્કલીન
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.
-સ્વામી વિવેકાનંદ
પહેલાં ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો. જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સાંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહીં ગુમાવો.
-શ્રી રામકૃષ્ણ પરમહંસ
પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી.
-કાકા કાલેલકર
જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે, તેવું કર્મ કદી ન આરંભો. પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે કર્મ અવશ્ય આરંભો.
-ભગવાન મનુ
બુરાઈ નાવમાં છિદ્ર સમાન છે, તે નાનું હોય કે મોટું, નાવને ડુબાડી દે છે.
-કવિ કાલીદાસ
મનુષ્ય કેવી રીતે મરે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે.
-હજરત અલી
મનુષ્યનું જીવન શ્રદ્ધા અને વિવેકથી ચાલે છે. વિવેક ન હોય, પરંતુ શ્રદ્ધા હોય તો બીજાના વિવેકથી લાભ ઉઠાવી શકાય છે. બીજાના વિવેકથી લાભ ઉઠાવવાની યોગ્યતાનું નામ ‘શ્રદ્ધા’ છે.
-સ્વામી અખંડઆનંદ સરસ્વતી
જીવનમાં નિરંતર તાજગી અને અતૂટ દિલચસ્પી ત્યારે જ મળે છે કે જ્યારે આંતરિક વિકાસ નિરંતર થયો હોય.
-શ્રી અરવિંદ
જ્યાં સુધી લોકો પોતાને સ્વયં સુધારવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી સુધારો થવો અસંભવ છે.
-કનૈયાલાલ મુનશી
જેણે ધન ભેગું કર્યું અને તેને ગણવામાં જ રહ્યો છે તે એવા ભ્રમમાં હોય છે કે ધન તેને જીવિત રાખશે.
-કુરાન
પોતાની આવશ્યકતાઓ ઓછી કરીને આપ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો.
-મહાત્મા ગાંધી
કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી કેળવણી માણસની માણસાઈ લઈ લે છે.
-સરદાર વલ્લભભાઈ પટેલ
સજા આપવાનો અધિકાર કેવળ પ્રેમ કરવાવાળાને જ છે !
-રવિન્દ્રનાથ ટાગોર
મનને હજાર પાંખ છે. હૃદયને એક જ પાંખ છે. છતાં જીવનનું સઘળું તેજ પ્રેમના અસ્ત સાથે વિલીન થઈ જાય છે.
-ફાન્સિસ બાઉડિર્ણાન
જેમ કાંટાળી ડાળને ફૂલ સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વચ્છ સ્વર્ગસમુ બનાવી શકે છે.
-યોગવસિષ્ઠ
પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.
-સ્વામી વિવેકાનંદ
કવિતા એ બધા જ માનવીય જ્ઞાન, વિચાર, ભાવ, અનુભવ અને ભાષાની સુગંધ કળી છે.
-જયશંકર પ્રસાદ
માણસ, નિશ્ચિત આકાર અને ઈન્દ્રિયોના સમુહના સજીવ ઢીંગલા ઢીંગલી એ માણસ નહીં પણ પોતાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી તેને ઓળખી, તેનો અહર્નિશ આભાર માનતાં જિવંત મંત્રો એ જ માણસ !
-ડૉ. ભરત મિસ્ત્રી
સાચુ બોલવાનો આગ્રહ રાખનાર માણસ બિલકુલ નિર્દોષ હોય તો પણ દુ:ખી થાય, એવો રુગ્ણ સમાજ આપણે કહેવાતા ધર્મની ઓથે રચી બેઠા છીએ.
-ગુણવંત શાહ
દુનિયા આપણે માનીએ છીએ એટલી સાવ ખરાબ કે દુષ્ટ નથી. એ છે ત્યાંથી જલદી બહુ ઊંચે આવતી નથી, એટલી જ દુ:ખની વાત છે.
-કાકા કાલેલકર
સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધાં સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે, તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે.
-જેઈમ્સ લોવેલ
Print This Article
·
Save this article As PDF
ખુબજ સરસ
maro shishya mohandas karam chand gandhi che…… gr8 khub j saras vakya che. khub gamiu. badha j suvakyo khub j sparshi gaya.
સરસ
Excellent . Every suvichar requires to be a part of our everyday life.
મનભાવક અને જીવનજરુરિઆત.
Hi
is that possible to get contact number of Shree Shahbuddin Rathod
ashish
Auckland
સુંદર …….. અતિસુંદર ………………
અતિ ઉત્તમ સન્ગ્રહ્ છે.
ખુબ જ સરસ. વાહ!
saja aapvano adhikar matra prem karvavala ne j hoi chhe suvakya riday ne sparshi gayu.
સારા વાક્યોનો સરસ ઉલ્લેખ
જીવનમાં ઉતારવા લાયક અમુલ્ય સૂચનોનો ખજાનો–સાચવવા લાયક સુવાક્યો.
ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય.
એક એક કરતાં કેટલા બધા સુવાક્યોનો સંચય થઈ ગયો.
શુ રોજ મને સફલ્તા અને આકન્ક્શાઓ પર સુવિચર અથ્વ તો સુવક્ય મારા ઈ- મૈલ મા મલશે?
The Site is good for morning reading and it is effcting our life to create new thought in our mind .