ઘટ ઘટમાં રહે – ભગવતીકુમાર શર્મા
જીવ, તું શું કામ નાહક તુચ્છ ખટપટમાં રહે ?
એને ઓળખ જે પળેપળ તારા ઘટઘટમાં રહે.
જીવ ને શિવ બેયના સંબંધ કૈં છાના નથી,
એક ખેપરમાં રહે અને અન્ય ઘૂંઘટમાં રહે.
હિમશિખરમો શ્વેત શીળો સાદ બોલાવે તને;
ક્યાં સુધી તું કોઈની નશ્વર અલકલટમાં રહે ?
હોય દરિયો કે નદી, બંનેની હદ નક્કી જ છે,
એક જો તટમાં રહે તો અન્ય પણ પટમાં રહે.
પ્રેય છોડી શ્રેયનું શરણું સ્વીકારી લે હવે,
શાને કાજે તું અકારણ ધર્મસંકટમાં રહે ?
Print This Article
·
Save this article As PDF
અતિ સુંદર –
પ્રેય છોડી શ્રેયનું શરણું સ્વીકારી લે હવે,
શાને કાજે તું અકારણ ધર્મસંકટમાં રહે ?