જુગતી તમે જાણી લેજો – ગંગાસતી
જુગતી તમે જાણી લેજો પાનબાઈ !
મેળવો વચનનો એક તાર,
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે.
મરજાદ લોપાઈ ભલે જાય.
ધરમ અનાદિયો જુગતીથી ખેલો
જુગતીથી અલખ તો જણાય…. જુગતી.
ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ !
જુગતીથી તાર જોને બંધાય,
જુગતીથી ત્રણ ગુણ નડે નહીં
જુગતી જાણે તો પર પોંચી જાય…. જુગતી….
ભાઈ રે ! જુગતી જાણી તેને અટકાવનાર નવ મળે.
તે તો હરિ જેવા બની રે સદા,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તને તો નમે જગતમાં બધા… જુગતી….
Print This Article
·
Save this article As PDF
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
બસ, આ જુગતી જેને જડી જાય એનો બેડો પાર…. ખરેખર, ગંગાસતી દ્વારા પાનબાઈને શિખામણ સ્વરુપે કહેવાયેલાં ભજનો અનુપમ છે.
ગંગાસતીના ભજનોમાં લૌકિક ભાષામાં ગૂઢ તત્વજ્ઞાનને વણી લેવામાં આવ્યું છે. આવા ભજનોના અર્થો પણ કોઈ સાચો મર્મી મળે તો સમજાય બાકી જુગતી વીના આ બધું સમજવું યે કઠણ.
ganga sati ni vani ana ana bhajano gana aarth sabhar shrimadbhagvatigita na aartho na saral bhasa man samjava chhe
આભાર
વચન રૂપી દોરમાં સુરતાને બાંધો,
ત્યારે મટી જશે જમનો માર –
ભલે ભલે !