આ કોણે બનાવ્યો ચરખો – રવિ સાહેબ
આ કોણે બનાવ્યો ચરખો ?
એના ઘડનારાને ઓળખો
બોલે બોલાવે સબ ઘટ બોલે,
જ્યાં જોઉં ત્યાં સરખો…
દેવળ દેવળ દે હુકારા
પારખ થઈને પરખો…… આ કોણે….
પંચ તત્વકો બન્યો પૂતળો,
ખેલ દેખીને નીરખો….
પવન પૂતળી રમે ગગનમાં,
નૂરતે સૂરતે નીરખો;…….. આ કોણે….
ધૂળના ઢગલામાં જ્યોત જલત હૈ,
અંધાર મીટ્યો નહીં અદરકો;
એ અજવાળે અગમ સૂઝે છે,
ભેદ મિલે ઉસ ઘરકો;………. આ કોણે…..
કહે ‘રવિદાસ’ સદગુરુ સાચા,
મેં ગુલામ કરી ઘરકો;
આ ચરખાની આશા મેં કરજો,
ચરખો નહીં રહે સરખો……… આ કોણે…..
Print This Article
·
Save this article As PDF
વાહ ખુબ સરસ. ઘણા વષૅ પછી આ કાવ્ય વાચવા મલ્યુ.
કહે ‘રવિદાસ’ સદગુરુ સાચા,
મેં ગુલામ કરી ઘરકો
અદભૂત ….
મે નથિ બનાવ્યો આ ચરખો….
અમારા દાદાના આ શબ્દો હ્તા
તે સમયે તો અમે નાના હતા
આજે મિથુ સ્મ્રરન્ થઇ કાનમા ગુજે